“મારી પહેલી રચના” – “ફેનિલ કોઠારી”

આજે બેઠો છુ ચન્દ્ર નીચે,
ગરમી ના વાતવરણ મા મારા માથા મા પડેલ
પાણિ જોઇ ને લાગ્યુ કે જાણે કોઇ મોટા આંસુ એ રોવે છે,
ચન્દ્ર જાણે કહિ રહ્યો છે ઈર્ષા થાય છે મને તારુ જિવન દેખિ ને,
મે કહ્યુ શા માટે મારિ મજાક ઊડાવો છો,
ચન્દ્રે કહ્યુ તારિ જોડે તારા મિત્રો છે,
મે કહ્યુ મારિ જોડે મારા મિત્રો સિવાય બિજુ કાંઈ નથિ,
ચન્દ્રે કહ્યુ મારા મિત્રો તો યોજનો દૂર તારિ ધરતી પર છે,
જેને ચાંદની આપવા રાત્રે બહાર નિક્ળુ છુ તો મારા ૩ સાથિ જાણે મને કહિ રહ્યા છે,
૧. મ્રુગજળ કહે છે કે
હું છુ રણ માં રહેલુ તારી ચાંદની થી ચમકતુ પાણી,
જેને પીવા ધરતી ના લોકો પણ આવતા નથી,
૨. ગુલાબ કહે છે કે
હુ કાંટા ની વચમા રહેલ એક સુગંધિ સફેદ ગુલાબ છું
જેને તોડવા તો કોઈ પ્રેમી પણ નથી આવતો
૩. કમળ કહે છે કે
હું કદાચ રાજા છું ફુલો નો પરન્તુ
કાદવ માં પગ મુકી ને કમળ ને મળવા આવે કોણ,

“આભાર યારો કે તમે રણ માં આવી,કાંટા ને ખસેડિ ને કાદવ માં પગ મુકિ ને મને અપનાયો જેથી આજે ચાંદને પણ ઈર્ષા થઈ ગઈ”

“ફેનિલ કોઠારી”

દીકરી પરનાં પુસ્તકો વેચાય તો’ય દીકરી તો વેતરાય જ

Women-Weekગુજરાતી લેખકોએ પુસ્તકો લખીને દીકરીઓ પર વહાલ વરસાવ્યું છે,પણ વાચકોમાં જાગૃતિ કેમ નથી આવતી? પૂછે છે દિવ્યેશ વ્યાસ

દીકરી કોને વહાલી ન હોય? દીકરીને સાસરે વળાવતાં કયા માતા-પિતાની આંખ કોરી રહે છે? તો પછી વહાલનો દરિયો, ઘરનો દીવો, સ્નેહની સરવાણી, પ્રેમની પુષ્પાંજલિ ગણાવાતી દીકરીનો જન્મવાનો અધિકાર કેમ છીનવાઈ જાય છે? દીકરીને જન્મવા જ નહીં દેવાની માનસિકતા, ઠંડી ક્રૂરતા આવી કયાંથી? પોતાનો લાડનો ખજાનો માતા-પિતા સામેથી કેમ લૂંટાવી દેવા લાગ્યાં છે? આ એવા સવાલો છે, જેના જવાબ આજે ખુદ સમાજ પણ સ્વસ્થતાથી આપી શકે એમ નથી.

આપણે ત્યાં દીકરીને લગતાં જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે, તે ખૂબ વેચાયાં છે. ગુજરાતી પ્રકાશન ક્ષેત્રે દીકરીનાં પુસ્તકોએ બેસ્ટ સેલર તરીકે રેકોર્ડ સ્થાપ્યા છે, પરંતુ એ જ ગુજરાતમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. ગુજરાતમાં દીકરીને લગતાં પુસ્તકોમાં સૌથી પહેલું જીભે ચડતું નામ ‘દીકરી વહાલનો દરિયો’ છે.

સમભાવ મીડિયા લિમિટેડનું આ પુસ્તક હાલ નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. ગુજરાતનાં કવિઓ, સાહિત્યકારો અને અન્ય મહાનુભાવો એમ કુલ મળીને ૩૬ લેખકોએ આ પુસ્તકમાં પોતાની વહાલસોયી દીકરીઓ પર લાગણીસભર લેખો લખેલા છે. સપ્ટેમ્બર ૧૯૯૮માં પ્રથમ વાર પ્રકાશિત આ પુસ્તકની અત્યાર સુધીમાં અધધ કહેવાય એટલી બાવીસ આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે.

નવભારત સાહિત્ય મંદિરના વડા મહેન્દ્રભાઈ શાહના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં અંદાજે ૪૦,૦૦૦ નકલો વેચાઈ છે. આ પુસ્તકને મળેલા વ્યાપક પ્રતિસાદ બાદ તેમના દ્વારા આવું જ બીજું પુસ્તક ‘દીકરી એટલે દીકરી’ પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેની ૬૦૦૦થી વધુ નકલો વેચાઈ છે અને ત્રણ-ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઈ છે.

ગયા વર્ષે માર્ચમાં પાર્શ્વ પબ્લિકેશનનું‘દીકરી અમારી કુળદીવડી’ પ્રકાશિત થયું હતું. સામાજિક સંશોધક શૈલજા ધ્રુવ અને ડો. ચંદ્રિકા રાવલ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પુસ્તકમાં એક જ સંતાન અને તે પણ બાળકી હોય તેવાં, ૧૫૭ માતા-પિતાની વાત રજૂ કરવામાં આવી છે.

માતા-પિતા દીકરીને સન્માનની દ્રષ્ટિએ જોતાં થાય, દીકરી પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાય એવા દ્રષ્ટિકોણ સાથે તૈયાર થયેલા આ પુસ્તકને પણ ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો છે અને તેનું વેચાણ એટલું ઝડપથી થયું છે કે તેની બીજી આવૃત્તિ ટૂંક સમયમાં જ પ્રગટ કરવાની સ્થિતિ સર્જાઈ છે.

ચોપડી નહીં, પણ ચોપડાપ્રેમી તરીકેની છાપ ધરાવતા ગુજરાતી લોકોમાં દીકરી પરનાં પુસ્તકો ખાસ્સા એવા પોંખાયા છે, વેચાયાં છે.

ગુજરાતમાં પ્રવર્તી રહેલા આ વિરોધાભાસને મહિલા વિકાસ ક્ષેત્રે કાર્યરત અને ‘અવાજ’ સંસ્થાનાં વડાં ઇલાબહેનનું કહેવું છે, ‘ઉચ્ચ મઘ્યમ વર્ગના લોકો આવાં પુસ્તકો ખરીદી-વાંચી શકે છે. બીજો આપણા સમાજનો મોટો વર્ગ નિમ્ન મઘ્યમ વર્ગ અને ગરીબ લોકોનો છે, જેઓ ભાગ્યે જ આવાં કોઈ પુસ્તકો ખરીદી શકે છે કે વાંચે છે.

તેમના સુધી આ પુસ્તકની વાત પહોંચતી જ નથી, તેઓ પોતાની જડ માનસિકતામાં રાચે છે અને દીકરી ઇરછતા નથી. જો કે વધુ દુ:ખની વાત એ છે કે આવાં પુસ્તકો વાંચનારા અને તેના ભારોભાર વખાણ કરનારા પણ અંદરખાને તો દીકરી સાથે કોઈ ને કોઈ રીતે તો ભેદભાવ રાખતા જ જોવા મળે છે. આને માટે સમાજનો દંભ શબ્દ જ વાપરવો પડે.’

પ્રતિષ્ઠિત સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહ કંઈક જુદો જ દ્રષ્ટિકોણ ધરાવે છે. ઘનશ્યામભાઈનું માનવું છે, ‘સમાજમાં જ માનસિક વિરોધાભાસ પ્રવર્તે છે. આપણે ત્યાં એવાં કોઈ માતા-પિતા નથી હોતા, જેમને દીકરીને ગર્ભમાં જ મારી નાખવાનું ગમતું હોય. તેઓ પણ અંદરથી તો એવું જ માનતા હોય છે કે તેઓ ખોટું કરી રહ્યાં છે.books and girls

તેમને દીકરી વહાલી જ હોય છે અને એટલે જ આવાં પુસ્તકો વેચાય-વંચાય છે, પરંતુ આજના સંજોગો સામે તેઓ લાચારી અનુભવે છે. આપણું સામાજિક માળખું એવું છે કે દીકરીના પિતાએ દહેજની ચિંતા કરવી પડે છે. દીકરી ઘરની બહાર નીકળે કે તેની સલામતીની ચિંતા દયને કોરી ખાતી હોય છે. આમ, આવા સંજોગોમાં માબાપને દીકરીનું સતત ટેન્શન રહેતું હોય છે. આ ટેન્શનના નિવારણ માટે તેઓ કમને પણ સ્ત્રી ભ્રૂણહત્યાનું પાતક વહોરે છે.

લોકો મૂરખ નથી, બધું સમજે છે, પરંતુ વાસ્તવિકતાને અવગણી નથી શકાતી. હું આ વિરોધાભાસને સમાજના દંભનું નહીં, પણ પ્રવર્તમાન સંજોગો સામેની લાચારીનું પરિણામ માનું છું.એક તરફ દીકરી પરનાં પુસ્તકો વેચાય અને બીજી તરફ દીકરી જન્મ પહેલાં ગર્ભમાં જ વેતરાઈ જાય, એ વિરોધાભાસ દૂર કરવા માટે લાગે છે કે સમાજની માનસિકતા જ નહીં સમગ્ર માળખું બદલવાની તાતી જરૂર છે.

પોતાના તમામ દંભ અને ડર દૂર કરીને દીકરીને માટે સુરિક્ષત વાતાવરણ ઊભું કરવું પડશે.’ કવિ દાદના શબ્દો વાપરીને કહીએ તો લૂંટાતો ‘લાડનો ખજાનો’ બચાવવા સમાજે બાલમુકુન્દ દવેની પંકિત ઉછીની લઈને પણ એકસાથે અને એકશ્વાસે કહેવું પડશે ‘તું શાની સાપનો ભારો? તું તુલસીનો કયારો લાડકડી!’

ગમ્યું તે લખ્યું

જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી,

લીમડાની ડાળ મીઠી થઇ ગઇ.

રચયિતાઃ- અદમ ટંકારવી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઇ ગઇ,

આંગળી જળમાંથી કાઢી ને જગ્યા પુરાઇ ગઇ.

રચયિતાઃ- સૈફ પાલનપુરી

આંખો રડી પડી અને રેલાય છે અવાજ

આંખો રડી પડી અને રેલાય છે અવાજ,
છે બંધ હોઠ તો ય વહી જાય છે અવાજ.

બોલ્યાં તમે એ વાતને વર્ષો થઈ ગયાં,
દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ !

નહિતર આ અંધકારમાં રસ્તો નહીં જડે,
થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ.

છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં,
દિલની છે વાત એટલે શરમાય છે અવાજ.

હોઠોનું સ્મિત, આંખના મદમસ્ત ઈશારા,
શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ !

દિલની દીવાલો ગુંજતી થઈ જાય છે ‘મહેક’,
જો એની યાદનો કદી અથડાય છે અવાજ.

-’મહેક’ ટંકારવી

કાડિયાવાડમાં ભૂલો પડ ભગવાન, કૌતુક દેખાડું શ્યામળા

સૌરાષ્ટ્રના બારોટો અમને કાડિયાવાડીઓને હુલાવવા-ફુલાવવા એક દુહો ગાતા ‘કાડિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન, તને સરગ દેખાડું શ્યામળા.’ હવે ૨૧મી સદીમાં ભૌતિક-સ્વર્ગ તો તમારી નજર હોય તો જ જોવા મળે પણ દરેકે દરેક સૌરાષ્ટ્રવાસીનાં દિલમાં તો સરગ છે જ, (સ્વર્ગ). રાજકોટથી બે કલાકને રસ્તે ડુંગરા વચ્ચે પ્રાંસલા ગામ છે. ત્યાં ૧૮ ડિસેમ્બર ૨૦૦૮માં સૌરાષ્ટ્ર-ગુજરાત અને ભારતના ૧૩૦૦૦ વિધાર્થી-વિધાર્થિની એક આત્મબળ કેળવવાની સ્વામી ધર્મબંધુની શિબિરમાં ભેગા થયા હતા. તેમાં કા”લેજ અને સ્કૂલની ૬૫૦૦ વિધાર્થિઓ હતી.

તેમાં બિંદુ વિઠ્ઠલપરા નામની બળૂકી કા”લેજિયન અને કડવા પટેલની દીકરીને મળ્યો. મોરબીની આ કન્યા એમ. કોમ.નું ભણતી હતી. એમ. કોમ. કરીને તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ. એ.વિથ સાયકોલોજીનું આગળ ભણવું હતું. ખેડૂત પિતા ભણવા દેશે જ. પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુએ આખા ભારતના અડધો ડઝન સાયન્ટિસ્ટોને બોલાવેલા. તાતા ઇન્સ્ટિ. ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને ભાભા એટમિક રિસર્ચના વિજ્ઞાનીઓ આવીને કોસ્મોલોજીથી માંડીને અણુ રિએકટર વિશે બાળક-બાલિકાઓને સમજાવતા હતા.

નવી દિલ્હીથી બોર્ડ સકિયુરિટી ફોર્સના પોલીસ આ”ફિસર પ્રેમસિંહ ચૌહાણ આવેલા. તે પ્રાંસલાના કેમ્પની યુવતીઓને રાઇફલ શૂટિંગ અને સ્વરક્ષા શીખવવા આવેલા. આ બધી ૮ દિવસના કેમ્પની તાલીમને અંતે બિંદુ નરભેરામ વિઠ્ઠલપરા નામની યુવતીનો ઇન્ટરવ્યૂ લઈ છેવટે પૂછ્યું ‘તારે શું થવું છે?’ તો કહે ‘મારે ડેપ્યુટી કમિશનર આ”ફ પોલીસ થવું છે!’ કાડિયાવાડમાં જયાં કણબી પટેલની દીકરીઓના પારણામાં હોય ત્યાં સગપણ થઈ જતાં અને ત્રીજું ધોરણ ભણાવીને ઉઠાડી મૂકતા ત્યાં એમ. એ. ભણીને સંતોષ નથી. તેથી એમ. કોમ. ભણીને પોલીસ આ”ફિસર થવાના સપનાઓ જોતી અનેક કન્યાઓ તમને સૌરાષ્ટ્રમાં દેખાશે.

સોરઠની હરિયાળી કે આંબાવાડી કે લહલહતી ખેતી કે ત્યાંના ભગરી ભેંશના દૂધ કે ગિરની ગાયોની ડોકનાં ઘંટડીના રણકાર સાંભળવા અમે દેશી ગીતમાં ભગવાનને ભૂલો પડીને કાડિયાવાડ આવવા કહેતા પણ આજે ૨૧મી સદીમાં મારે ભગવાનને કહેવું પડશે કે તું સૌરાષ્ટ્રની દીકરીયુંનું ખમીર જોવા તો એક દી સૌરાષ્ટ્ર આવજે જ. બીજી એક પટેલની દીકરીનું નામ દીપિકા અંબારામ છે. રાજકોટમાં તે સંસ્કૃત સાથે એમ. એ. થઈ છે. અને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સંસ્કૃત ડિપાર્ટમેન્ટમાં તેને આગળ ભણીને પ્રોફેસર થવું છે.

તે કહે છે ‘અમારી બહેન દીકરીઓ ભણીગણીને સંસારમાં જઈને પણ અઘ્યાત્મને આત્મસાત્ કરે, તેમ જ ખાસ કરીને આરોગ્ય સુધારે. એટલું જ નહીં, આ લોક સાથે પરલોક પણ સુધારે તેવું મારે પ્રોફેસર બની વિધાર્થીઓને કહેવું છે.’ નવાઈ માટે !!! આવા ચિહ્નો મુકાય છે. મારા જેવા અનુભવીને પણ એક ખેતી કરતા પટેલની પૌત્રી સંસ્કૃતની પ્રોફેસર થઈ તેના વિધાર્થીઓનાં પરલોકને સુધારવાની મહેરછા રાખે છે તેવો નક્કર આત્મવિશ્વાસવાળો રણકાર સાંભળી તમે ૧૦૦૦ આશ્ચર્યચિહ્ન મૂકી શકો. હવે તે થોડા વખતમાં પીએચ.ડી. થઈને ડો. દીપિકા બનવા માગે છે. તેને પૈસાની ખેવના નથી. તે ઋગ્વેદ અને વિષ્ણુપુરાણનો અભ્યાસ કરી ચૂકી છે. ઘરે લાઇબ્રેરી છે. અદ્ભુત અદ્ભુત!

અમદાવાદ-મુંબઈમાં કરોડપતિઓને ઘરે મેં લાઇબ્રેરી જોઈ નથી. દીકરીઓના ધનિકોને ઘરે જુદા જુદા ડ્રેસના બબ્બે કબાટો જોયા છે પણ અહીં એક એક કન્યાને મળો તો લાગે કે ભારતનું કૌવત, ભારતનું ગૌરવ, ભારતનું ભાવિ બળ ગામડાંમાં અને નાનાં શહેરોમાં છુપાયેલું પડયું છે.

‘ધ ઇકોનોમિસ્ટ’માં કવર સ્ટોરી હતી કે ‘ચાયના એન્ડ ઇન્ડિયા-એ ટેઇલ ઓફ ટુ વુલનરેબલ-ઇકોનોમિઝ.’ આપણા આ લેખ માટે એ મથાળાનું હું અર્થઘટન કરું તો આ ૮૦૦૦ માઈલ છેટે બેઠેલું આર્થિક સાપ્તાહિક જેમાં અર્ધદગ્ધ ભાડૂતી ભારતીય અર્થશાસ્ત્રીઓ દૂર દૂર મુંબઈ કે કોલકાતા કે દિલ્હી બેસીને ભારતનાં અર્થતંત્ર ઉપર ધડામ દઈને તેમનું ઉપરછલ્લું જજમેન્ટ આપી દે છે. કહે છે કે ભારતનું અર્થતંત્ર વુલનરેબલ છે.

ભારતનું અર્થતંત્ર છીછરું છે. વીંધાઈ જઈને તૂટી પડે તેવું છે. આ વાંચીને મારું અર્થશાસ્ત્રનું જે થોડું ઘણું જ્ઞાન છે તે જોતાં મારું કાળજું બળી ગયું. ‘વુલનરેબલ’ એટલે શું કહેવા માગે છે? અને ભારતમાં અર્થતંત્રનો આ ટેબલ પંડિતો શું અર્થ કાઢે છે?

(૧) શું ભારતમાં શોપિંગ મા”લ ઠેર ઠેર હોય અને આખું ભારત ઠંડાપીણા પીતું હોય અને અમેરિકાના જંકફૂડ કે મેકડોનાલ્ડઝના નાસ્તા કરતું હોય તો ભારતનું અર્થતંત્ર મજબૂત ગણાય?

(૨) શું અમેરિકાના ભૂંડા જિનેટિકલી મોડિફાઇડ બિયારણો મોંઘા ભાવે ખરીદી શકે તો ભારતનું અર્થતંત્ર તગડું અને અભેધ ગણાય?

(૩) શું મિલ્ટનેશનલ કંપનીઓ ભારતના ઉપભોગકર્તાને ચૂસવાનો પૂરો પરવાનો મેળવીને ભારતમાં તેનો માલ છૂટથી ઘુસાડે અને મબલક નફો કરે તેને ભારતનું અર્થતંત્ર તગડું મનાય?

(૪) શું શેરબજારમાં કાળાંધોળાં નાણાં લાવીને સટ્ટો કરીને શેરબજારના સેન્સેકસને સતત ઊચો કરે તો ભારતનું અર્થતંત્ર અભેધ (ઇનવુલનરેબલ) ગણાય?

તમે જરાક ભારતનાં ઓરિસ્સાથી હરિયાણા અને સૌરાષ્ટ્રથી વિશાખાપટ્ટનમ સુધીના ગામડાં જોઈ આવો. અમારા ગામડાઓમાં શિક્ષણનો જબરજસ્ત વિસ્ફોટ જાગ્યો છે. કોલેજોમાં-સ્કૂલોમાં આદિવાસી, અસ્પૃશ્યો અને ખેડૂતોની કન્યાઓ ઊચું ભણતર ભણવા માંડી છે. ભારતનું કૌવત આ માનવબળમાં છે-બુદ્ધિબળમાં છે. શેરબજાર વુલનરેબલ છે. અંબાણીઓની કંપનીઓ કે તાજમહાલ હોટેલ વુલનરેબલ છે પણ અમારા કાડિયાવાડનો દાખલો લઈએ તો ‘ધ ઇકોનોમિસ્ટ’ની વ્યાખ્યા પ્રમાણે વુલનરેબલ નથી જ નથી. હા એક વાત સ્વીકારવી પડે.

આ જગતમાં કોણ વુલનરેબલ નથી? વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો અમેરિકા પણ વુલનરેબલ છે. તેના ન્યૂ યોર્ક ટ્રેડ સેન્ટરને ઘ્વસ્ત કરી શકાય છે. તેની ૧૩-૧૪ વર્ષની છોકરીઓને સેકસમાં પાડી શકાય છે. ગાંજો કે ચરસ પીતી થાય છે. અરે ધ ઇકોનોમિસ્ટના તંત્રીઓની દીકરીઓનું તે તંત્રી ઘ્યાન ન રાખે તો તેને પણ ભગાડી શકાય કે તેને ગંજેરી બનાવી શકાય તેવી તે વિદ્વાન તંત્રીઓની દીકરીઓ વુલનરેબલ છે પણ અમારું સ્ત્રીધન, ખાસ કરીને ગામડાનું સ્ત્રીધન તમારા પિશ્ચમના દેશ જેટલું વુલનરેબલ નથી જ નથી. અહીં ફ્રાંસલામાં રોજ ૧૩૦૦૦ યુવા લોહીને સ્વામી ધર્મબંધુનું રસોડું કોઈ વખત શુદ્ધ ઘીનો અડદિયાપાક અને રગડા જેવા ગાયનાં દૂધ પિવડાવતા હતા.

કાડિયાવાડની ઘોડીઓ કે ઘોડા લાવીને આંધ્ર, ઓરિસ્સા બંગાળ અને કેરળ-તામિલનાડુની છોકરીઓને ઘોડેસવારી શીખવાતી હતી. માસ્ટર આર્ટ અને જૂડો-કરાટે શીખવીને ત્રાસવાદીને કેમ ઝબ્બે કરવા તે પ્રાંસલા ગામના આશ્રમમાં શીખવાતું હતું. પંજાબી છોકરીઓ સાથે રાજસ્થાન અને સૌરાષ્ટ્રની છોકરીઓ રાઇફલ શૂટિંગ શીખતી હતી. બધાં જ બાળકો ૪ વાગ્યે ઊઠી જતા હતા. આણંદથી આટ્ર્સ કોલેજમાં ૫૧૭ જેટલા વિધાર્થી-વિધાર્થિની આવેલાં. શેરબજારના સેન્સેકસ કે ‘ઇકોનોમિસ્ટ’ જે ગ્રોસ ડુમેસ્ટિક પ્રોડકટ ઉર્ફે જીડીપીની મોકાણ માંડે છે પણ અમે એ પ્રોડકટને ગણતા નથી. અમારી ગ્રોસ નહીં પણ નક્કર પેદાશ આ યુવાબળ છે.

સ્વામી ધર્મબંધુના કહેવા પ્રમાણે આ શિબિર ચાર વર્ષથી યોજાય છે. અહીં ધર્મધુરંધરો, વિજ્ઞાનીઓ, મહાત્માઓ આવેલા. મહાભારત ટીવી સિરિયલના ભીષ્મપિતામહ મુકેશ ખન્ના આવેલો. તાતા ઇન્સ્ટિ.ઓફ ફંડામેન્ટલ રિસર્ચના અવકાશ વિજ્ઞાનીઓ સાથે કો. સૌરાષ્ટ્રની છોકરીઓ તેમને અવકાશ વિજ્ઞાનના પ્રશ્નો પૂછતી. ‘નાસા’માં મિસાઇલ ગાઇડેડ શસ્ત્રોના નિષ્ણાત ગણાતા ડો. આર. કે. ત્યાગી ન્યૂ યા”ર્કથી આવેલા. ન્યૂ યોર્ક યુનિ.ના ફિલોસોફર અશોક મલ્હોત્રા આવેલા. આ મલ્હોત્રા સાહેબ બાળકોને સાદાઈ અને પ્રામાણિકતાનો ઉપદેશ આપતા હતા અને ‘યસ વી કેન’નું સૂત્ર બોલાવતા હતા.

જામનગરના ભરવાડનો દીકરો અહીં આવેલો. તેના પિતા બાળપણ મૃત્યુ પામતા દાદાએ ઉછેર્યોહતો. તેને તેના દાદાએ દૂધમાં પાણી ભેળવવાનું કહ્યું. કાના ભરવાડ નામના યુવાને શિબિરમાં આવ્યા પછી કહ્યું. ‘હું ભૂખે મરીશ પણ દૂધમાં પાણી નહીં ભેળવું.’ તે કુટુંબથી અલગ થઈ મજૂરી કરીને ભણ્યો. બીજો એક શિબિરાર્થી ગ્રેજયુએટ થયો. ગુજરાતમાં શિક્ષક થવા રૂ. ૫ લાખની લાંચ આપવી પડે છે. તે શિબિરાર્થી ગ્રેજયુએટે શિક્ષક થવા લાંચ ન આપી. આજે તે રાજકોટ એરપોર્ટમાં સામાન ચેક કરનારા શ્રમિક બનીને તેના ગ્રેજયુએટની ડિગ્રી અને કાડિયાવાડના ગૌરવને દીપાવે છે. તો ‘ઇકોનોમિસ્ટ’ સાહેબો, અમારું આ ગૌરવ અને ખુમારી ઇનવુલનરેબલ છે. તમારા શહેરી અર્થતંત્રો કે પિશ્ચમની સમૃદ્ધિનાં ધોરણો જાય જહાન્નમમાં.