Welcome to માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી in golden city SURAT

Picture taken from www.narendramodi.in

Picture taken from www.narendramodi.in
હીરા-ઝવેરાતથી ઝગમગતા અબજોના જવેલરી સ્ટોલ કરતાં સ્પાર્કલની બહાર ઊભા કરાયેલા હસ્તકલાના કારીગરોના ‘આર્ટિઝન વિલેજ’ને અદકેરું મહત્વ આપતા મુખ્યમંત્રી
સ્પાર્કલ-૨૦૧૧ એટલે સુરતના ડાયમંડની ઓળખ વિશ્વમાં ઊભી કરવાનો પ્રયાસ…માટે જ જ્યારે ડાયમંડની વાત આવે ત્યારે વચ્ચે સુરત સ્ટેશનનું સરનામું નહિ માત્ર ને માત્ર સુરત જ આવવું જોઇએ. જોકે, તેમ કરવા માટે કલ્ચર એપ્રોચ અને બ્રાન્ડનેમની આવશ્યકતા છે ત્યારે સુરત અને સ્પાર્કલનું દાયિત્ય બને છે કે સુરતના ડાયમંડને બ્રાન્ડનેમ આપો. કેમકે આજે વિશ્વમાં બિઝનેસની સૌથી મોટી કોઈ તાકાત હોય તો તે બ્રાન્ડનેમની છે તેવો લલકાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પાર્કલ-૨૦૧૧ને ખુલ્લું મુકતા કર્યો હતો.
Taken from Divya Bhasker
રાજકોટની પીપલ્સ બેંક અને શિક્ષણ સંસ્થાનું અનોખું અભિયાન
કોઈ બેંકમાંથી લોન જોઈતી હોય, સ્કૂલમાં એડમિશન લેવાનું હોય કે નોકરી કરવાની વર્તમાન માહોલમાં એવું ચોક્કસ કહી શકાય કે, ખિસ્સાં ભરેલા હોય તો બધું સરળ છે. પરંતુ રાજકોટની એક સંસ્થાએ નવો અભિગમ અપનાવ્યો છે અને તે એ છે કે નોકરી, એડમિશન કે ટ્રસ્ટીપદ જેવી બાબતો જોઈતી હોય અને ટકાવવી હોય તો મોઢા ખાલી હોવા જોઈએ એટલે એ વ્યકિતને કોઈ પ્રકારનું વ્યસન હોવું ન જોઈએ.
વ્યસન મુકિત માટે સૂત્રો અને પ્રવચનો તો અનેક પ્રકારના પરંતુ તેનો અમલ રાજકોટ પિપલ્સ કો.ઓપ. બેંક અને સરદાર પટેલ વિધા સંકુલ વિશેષ રીતે કરે છે. આ સંસ્થાઓના સંચાલક શામજીભાઈ ખૂંટને પણ જો કે, વ્યસન છે. વ્યસન મુકિત સામે લડત આપવાનું વ્યસન છે. શામજીભાઈને એક નશો છે. તમાકુ અને અન્ય કોઈપણ પ્રકારના વ્યસન સામે ઝઝૂમવાનો !
શામજીભાઈ કહે છે, અમારી બેંકને દસ વર્ષ થયા છે કેટલીક અઘરી શરતો અમે પાડીએ અને પડાવીએ છીએ. બેંકમાં ભરતી માટેની લાયકાત ગ્રેજયુએશન વીથ ફસ્ર્ટ કલાસ છે. તે ઉપરાંત અમે ચૂસ્તપણે એવો આગ્રહ રાખીએ છીએ કે અમારે ત્યાં કામ કરતો કર્મચારી વ્યસન વગરનો હોય બેંકમાં કે અંગત જીવનમાં તેને તમાકુ, બીડી, સિગારેટ, ગુટખા દારૂ જેવી કોઈ ચીજનું બંધાણ હોવું ન જોઈએ.
આ શરત બેંકના ડિરેકર્ટસને પણ લાગુ પડે છે. અમે ૧૧ ડિરેકર્ટસ છીએ અને કોઈને વ્યસન નથી. જે વ્યકિત કે પાર્ટી લોન લે તે તો ઠીક પરંતુ અમારા ડિપોઝિર્ટસ માટે પણ એટલું ફરજિયાત છે કે, તે લોકો બેંકમાં આવે ત્યારે તો તેના મોઢામાં પાન-ફાકી કે તમાકુ ન જ હોવા જોઈએ. અને તેનું પાલન પણ થાય છે.
બેંક ઉપરાંત ૧પ૦ ફૂટ રિંગ રોડ પર આવેલું સરદાર પટેલ વિધાસંકુલ લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટીઓ ચલાવે છે ત્યાં આજ શરત છે. બાળકને સ્કૂલ અને હોસ્ટેલમાં મેરિટ પર એડમિશન મળે છે. પિતાની આર્થિક સ્થિતિ નબળી હોય તો તેની ફી ટ્રસ્ટી ભરે છે પરંતુ શરત એ છે કે, તેના પિતા કે વાલીને કોઈ વ્યસન ન હોય. તેમાં જામીન રાખીએ છીએ. એટલે કોઈ વાલીને વ્યસન હોવાનું પછીથી જાણમાં આવે તો એ જામીન પાસેથી ફી લેવાય છે. વ્યસન મુકિત માટે આવા પ્રોત્સાહનો અમે આપીએ છીએ.
વ્યસન ન હોય તેને ફીમાં રાહત !
સરદાર પટેલ વિધાસંકુલના ટ્રસ્ટી મંડળ દ્વારા એવી વિચારણા થઈ રહી છે કે, કોઈ વિધાર્થી એડમિશન લે ત્યારે જો તેમના વાલીને વ્યસન ન હોય તો તેને ફીમાં થોડી રાહત આપવી આ અંગે અંતિમ નિર્ણય થયો નથી.
વ્યસન ન છૂટયું, તો ટ્રસ્ટી પદ છોડવું પડયું
સરદાર પટેલ વિધાસંકુલના ટ્રસ્ટીઓ માટે પણ શરત છે કે, તેમને વ્યસન ન હોવું જોઈએ. એક ટ્રસ્ટી પ્રયત્ન કરવા છતાં વ્યસન છોડી ન શકયા તો તેમણે અંતે ટ્રસ્ટીપદેથી રાજીનામું આપ્યું હતું. ઉપરાંત બેંકની બહાર ફાકી ખાઈ રહેલા ત્રણ કર્મચારીઓને પણ છૂટા કરી દેવાયા હતા. તેમ શામજીભાઈ કહે છે
તારીખ : આજની જ.
પ્રતિ
તમોને જ
વિષય: જિંદગી અને તમે!
ભાઈશ્રી/બહેનશ્રી,
હું, ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. 9ું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે.
[૧] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસBટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા, મારા સમયે, તમારા સમયે નહીં!
[૨] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[૩] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[૪] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
[૫] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
[૬] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફ20સોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[૭] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર ક્યારેક આવે તો એવા લોકોને Aાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[૮] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[૯] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે…
હું તમારE0 પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો મારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.
એ જ લિ,
ભગવાનની આશિષ.