સુરત ધરાવે છે બહુ જ રિચ મરીન લાઇફ

૨૨મીએ ઇન્ટરનેશનલ બાયોલોજિકલ ડે સેલિબ્રેટ કરાયો ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે કોસ્ટલાઇન ધરાવતા સુરત પાસે પણ રિચ મરીન લાઇફ છે, એને ટકાવવા પ્રયત્નો થવા જોઈએ 

૨૨મી મે ઇન્ટરનેશનલ બાયોલોજિકલ ડે તરીકે ઉજવાય છે. ગુજરાત બહુ મોટી કોસ્ટલાઇન ધરાવે છે અને સુરત પણ કોસ્ટલાઇન ધરાવે છે. તમને જાણીને નવાઇ લાગશે કે સુરતમાં ઘણી બધી મરીન સ્પીશિસ જોવા મળે છે અને આવી સ્પીશિસ માટે ગુજરાતમાં સુરત નંબર વનની પોઝિશન પર છે.

મરીન લાઇફ આખા વર્લ્ડ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ધરતીનો ૭૧ ટકા જેટલો ભાગ પાણીથી ઢંકાયેલો છે. ગુજરાતમાં મરીન પાર્ક અને મરીન સેન્ચુરી છે. આ સ્પીશિસમાંથી મોટા ભાગની સ્પીશિઝ વાઇલ્ડ લાઇફ એક્ટ પ્રમાણે શેડ્યુલ ૧માં આવે છે. પણ કેટલાંક કારણોસર આમાંની કેટલીક સ્પીશિસ અલુપ્ત થઈ રહી છે. પ્રયાસ સંસ્થાના પ્રેસિડન્ટ દર્શન દેસાઈ કહે છે, ‘સુરત મરીન લાઇફમાં રિચ છે. પણ અહીં થતા પોલ્યુશનના કારણે ઘણી બધી સ્પીશિસ છે. જેને હાનિ પહોંચી રહી છે. અહીં ઓઇલ એન્ડ ગેસ કંપનીઝ છે, જેના કારણે પોલ્યુશન થઈ રહ્યું છે. વળી, એને બચાવવા આ પોલ્યુશન અટકાવવું જોઈએ અને કોસ્ટલાઇન પર મેંગ્રુવ પ્લાન્ટેશન કરવા જોઈએ.

સુરતમાં મરીન સ્પીશિસ :

મેમલ્સ અને ફીશિસ: હંપ બેકટ વેલ, ડ્વાર્ફ સ્પર્મ વેલ, બોટલ નોઝ ડોલ્ફિન, કોમન ડોલ્ફિન, સો ફિશ, જેલી ફિશ, સ્ટાર ફિશ, ટર્ટલ અને સ્નેકસ, ઓલીવ રીડલે ટર્ટલ, ગ્રીન સી ટર્ટલ

સી સ્નેઇક : ગ્લોસી માર્શ સ્નેઈક, ફાઇલ સ્નેઇક બર્ડઝ : સિગલ અને ફ્લેમિંગો

 

Source : Divyabhaskar.co.in

ઇન્ડિયા એટલે સુરત: દુનિયામાં ફરી વાગ્યો સુરતી ડંકો!

મોઘલકાળમાં દુનિયાભરના દેશો માટે ઇન્ડિયા એટલે સુરત હતું. જોકે, અંગ્રેજોએ મુંબઇ વિકસાવ્યું એટલે સુરતની પડતી શરૂ થઇ. જોકે, હવે એકવાર ફરી દુનિયાભરના દેશોની નજર સુરત પર પડી રહી છે. છેલ્લા એક વર્ષમાં શહેરમાં એક યા બીજી રીતે ૨૨ દેશોના પ્રતિનિધિઓ મુલાકાત લઇ ચૂક્યા છે. ૩૦ મેના દિવસે આફ્રિકાના ૧૩ દેશોના વેપારીઓ આવવાના છે.

- અનેક વિદેશી બિઝનેસ ડેલિગેશનને કારણે સુરતની વિશ્વસ્તરે ઓળખ ઊભી થઈ 

ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના નેજા હેઠળ આમ તો સુરતમાં દર વર્ષે વિદેશથી બિઝનેસ ડેલિગેશન આવતા હોય છે, પણ આ વર્ષે ૯ કોન્સલ જનરલ, એમ્બેસેડર, વિદેશી મંત્રીઓ, વિદેશની ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો સુરતની મુલાકાતે આવી ગયા છે અને હજુ ૩૦ મેના દિવસે આફ્રિકાના૧૩ દેશોના ૧૪૦ જેટલા લોકોનું બિઝનેસ ડેલિગેશન સુરત આવવાનું છે. અનેક દેશની ચેમ્બર સાથે બિઝનેસના પ્રોત્સાહન મોટ એમઓયુ પણ થયા.

આ વાત એટલા માટે મહત્વની છે કે બિઝનેસ ડેલિગેશનને કારણે સુરતનું નામ વિશ્વસ્તરે જાણીતું બન્યું. ડાયમંડ અને ટેક્સટાઇલને કારણે સુરત આમ તો વિશ્વભરમાં જાણીતું જ છે પણ તે સિવાય પણ ફૂડ પ્રોસેસિંગ, એગ્રીકલ્ચર, જેવા અનેક બિઝનેસની તકના પાયા નંખાયા.

આ દેશોના કોન્સલ જનરલ આવ્યા :

આ વખતે ઇથિયોપિયા, સાઉથ આફ્રિકા, કેનેડા, ચીન, શ્રીલંકા, તુર્કી, દુબઈ, નામિબિયા, થાઇલેન્ડના કોન્સલ જનરલ ચેમ્બરના આમંત્રણને માન આપીને સુરત આવ્યા હતા. તેમાંથી મોટા ભાગનો કોન્સલ જનરલ પહેલીવાર સુરત આવ્યા હતા. ઘણા કોન્સલ જનરલ સુરતની ઔધ્યોગિક સમૃદ્ધિથી વાકેફ નહોતા.

આ દેશોએ એમઓયુ કર્યા :

કોન્સલ જનરલ ઉપરાંત દુબઈ, પાકિસ્તાન, શ્રીલંકા, તુર્કી જેવા દેશના ચેમ્બર ઓફ કોમર્સ સાથે એમઓયુ પણ થયા. હેતુ માત્ર એટલો જ હતો કે બંને ચેમ્બરો પોતપોતાના દેશના વેપાર-ધંધાનું આદાનપ્રદાન કરે અને તેનો લાભ બિઝનેસના લોકોને મળે. જે તે દેશમાં કોઈ બિઝનેસની ગૂંચ ઊભી થઈ હોય કે મુશ્કેલી ઊભી થઈ હોય તો ચેમ્બર તેમાં મદદરૂપ થઈ શકે છે.

ઉદ્યોગ ૨૦૧૦માં પણ વિદેશીઓ આવ્યા :

આ વખતે ઉદ્યોગ-૨૦૧૨માં જાપાન, કોરીઆ, નામિબિયા, યુકે, જેવા દેશોના પ્રતિનિધિઓએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જીજેઇપીસી દ્વારા આયોજિત બાય- સેલર મીટમાં રશિયાની ૧૮ કંપનીઓ ત્રણ મહિના પહેલા સુરત આવી હતી.

સુરતીએ નામિબિયામાં ફેકટરી નાંખી :

બીજુ કે નામિબિયાના એક ડેલિગેશને તો સુરતમાં ત્રણથી ચાર વખતે મુલાકાત લીધી જેની ફળશ્રુતિ એ રહી કે ઓલપાડના એક સ્ટીલ અને પાઇપના બિઝનેસ સાથે સંકળાયેલા એક ઉદ્યોગકાર નામિબિયામાં કરોડોના ખર્ચે ફેક્ટરી નાંખી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાનું ફોટોગ્રાફી પ્રદર્શન :

હાલમાં જ ડુમસ રોડના એક મોલમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયોની જીવનશૈલી દર્શાવતું ફોટોગ્રાફી પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રસંગે ત્યાંના કોન્સલ જનરલે સુરતમાં ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી સ્થાપવાની વાત કરી હતી.

ક્યા બિઝનેસ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો આવશે :

આઇટી-સોફટવેર, એર્નજી, રીન્યુએબલ એર્નજી, લો કોસ્ટ હાઉસીંગ, માઇનીંગ એન્ડ માઇનીંગ ઇકવીપમેન્ટ, ફાર્મા, એગ્રીકલ્ચર, ઓઇલ એન્ડ ગેસ, હેલ્થ અને મેડીકલ ઇકવીપમેન્ટસ, બિલ્ડીંગ મટીરીયલ્સ, વુડ અને સ્ટીલ ફર્નિચર, એજ્યુકેશન, ટેક્સટાઇલ મેન્યુફેકરિંગ, કોર્પોરેટ વેર, બેન્ડીંગ, લેધર બેગ શુઝ, યુનિફોર્મ, પ્રોટેકટીવ અને હાઇફેશન કલોથીંગ, ટેલિકોમ્યુનિકેશન, એન્જિનયરિંગ, ફૂડ પ્રોસેસિંગ,હેલ્થ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન, જેમ સ્ટોન, પ્રિન્ટિંગ એન્ડ પેકેજીંગ જેવા અનેક બિઝનેસ સાથે સંકળાયેલા લોકો આવશે. તેનાથી બંને પાર્ટીઓને ફાયદો થશે.

૩૦મીએ આફ્રિકાના ૧૦ દેશોના લોકો સુરત આવશે :

૩૦મીમેના દિવસે આફ્રિકાના ૧૦ દેશ દેશોના જુદા જુદા બિઝનેસ સાથે સંકળાયેલા ૧૦૦ જેટલા બિઝનેસમેનો સુરત આવવાના છે. આટલી મોટી સંખ્યામાં બિઝનેસ ડેલિગેશન આવશે તેવું સુરતમાં પહેલીવાર બનશે.

આફ્રિકાના ક્યા ક્યા દેશો સુરત આવશે. . . .

સાઉથ આફ્રિકા, કોંગો, દક્ષિણ સુદાન, મોઝામ્બિક, બોટસ્વાના, ઇથોપિયા, બુરુન્ડી, નાઇજીરિયા, બેનિન, ઝામ્બિયા, ટોંગો, નામ્બિયા અને માલાવી.

લઘુ ઉદ્યોગકારો માટે સોનેરી તક…

ઇન્ડો-આફ્રિકા કોન્કલેવમાં સુરત તથા દક્ષિણ ગુજરાતના લઘુ ઉદ્યોગકારો માટે સોનેરી તક સમાન સાબિત થશે. – પરેશ પટેલ, પ્રમુખ, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ

જી-૨૦ દેશોમાં સુરતનું નામ થયું : 

સુરતમાં અનેક દેશોના બિઝનેસ ડેલિગેશન આવ્યા, તેને કારણે જી-૨૦માં જે દેશોનો સમાવેશ છે, તેમાંના મોટા ભાગના દેશોમાં સુરતનું નામ પ્રસ્થાપિત થઈ ગયું છે. – રોહિત મહેતા, તત્કાલિન પ્રમુખ, ચેમ્બર

Source : Divyabhaskar.co.in

સુરતમાં હતી ૩૫૦૦ વર્ષ પહેલાં વસ્તી! – Surat’s population was 3500 years ago!

કામરેજ નજીક જોખા, ધાતવા અને ડુમસ નજીક માલવણમાંથી જુની સભ્યતાના પુરાવા મળ્યા છે, ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વની આ જગ્યાઓ વિશે ગામના લોકો પણ જાણતા નથી, કામરેજનો સમાવેશ તો આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયાના પ્રાચીન મોન્યૂમેન્ટ્સની યાદીમાં છે પરંતુ તેનો વિકાસ કરાયો નથી કે તેનું સરંક્ષણ પણ નથી કરાતું

મહાભારતમાં ઉલ્લેખ છે કે મથુરાથી દ્વારકા જતી વખતે શ્રીકૃષ્ણ સુરત આવ્યા હતા. આ વાત કદાચ ઈતિહાસકારો મિથ કહીને ફગાવી દે પરંતુ એક હકીકત પુરાવા સાથેની છે કે કામરેજ અને ડુમસ નજીકના ગામોમાં ૩થી ૪ હજાર વર્ષ પહેલા માનવવસ્તી હતી. તે પણ આદિમાનવોની નહીં પરંતુ વિકસિત ગામોની. આ ગામોમાંથી ગુજરાતની અન્ય જગ્યાઓ જેવી કે અમદાવાદ નજીક લોથલ અને કચ્છની રંગપુરના જેવી જ વસ્તી હતી.

આ ગામો છે કામરેજ નજીક આવેલા જોખા અને ધાતવા તથા ડુમસ નજીક આવેલું માલવણછે.જોખા અને ધાતવા ગામમાં એમ. એસ. યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના પ્રોફેસર આર. એન. મહેતાએ ૧૯૬૬-૬૭માં ઉત્ખનન કર્યું હતું. માલવણ ગામમાંથી પણ કેટલાંક પુરાતત્વ અવશેષો કેમ્બ્રિજ યુનિવર્સિટીના એફ. આર. અલ્ચિન અને આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયાના જે. પી. જોશીના માર્ગદર્શન હેઠળ ૧૯૬૭-૬૮માં ઉત્ખન્ન દરમિયાન મળી આવ્યાં હતા.

કોઈક નાનું જુથ રહેતું હશે

ધાતવા, જોખા અને માલવણમાં જે વસ્તુઓ મળી આવી છે તે ઉપરથી કહી શકાય કે ત્યાં ગામડું હશે. પ્રો. કે. ક્રશિ્નન, હેડ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી, એમ.એસ. યુનિ.

આ ગામોમાં મળેલી વસ્તુઓથી સાબિત થાય છે કે હડપ્પા અને મોહજોદારો સમયમાં જેમ ગુજરાતમાં લોથલ, રંગપુરમાં માનવ વસ્તી હતી તે રીતે અહીં પણ હશે. જોકે, કોઇ મોટું સ્ટ્રકચર અહીં મળતુ ન હોવાથી ત્યાં ત્યાં પર્યટન માટે કોઇ સાઇટ વિકસાવી શકાઇ નથી અહીં કોઇ નાનું જુથ રહેતું હોવાની શક્યતા છે.
ભામિની મહિડા, ચીફ ક્યુરેટર-સાયન્સ સેન્ટર.

ગામના લોકો જ નજીકના પ્રાચીન ઈતિહાસથી અજાણ

જોખામાં ટીમ્બો

કામરેજથી ૬ કિમીના અંતરે જોખા ગામ આવ્યું છે. અહીંથી ૨૦૦ મીટર ઉત્તરે અને ૧.૫ મીટરની ઊંચાઇએ સાવામોરા કે ગભાણ વિસ્તાર આવેલો છે. ત્યારે અહીં એક ટીમ્બો (નાનકડો પહાડ) મળી આવ્યો હતો, જેના ખોદકામ વખતે ત્યાંથી ખીલી, રિંગ, પ્લેટ, બંગડી જેવી તાંબાની વસ્તુઓ મળી આવી હતી.

ધાતવામાં રૂંઢીમોરા

ધાતવાથી દક્ષિણે બે કિમીના અંતરે રૂંઢીમોરા નામનો ટેકરો છે, જેની ઊંચાઇ લગભગ ૨.૭૫ મીટર અને ઘેરાવો ૧૫૦ મીટરનો છે.અહીંથી તાંબુ, હાડકાં, છીપલાં, માટીનાં રમકડાંઓમાં-સ્ત્રીનું પૂતળું, બળદ, બકરીનાં પૂતળાં, લખોટીઓ, પૈંડાં, ચક્ર, તકલી તેમજ બુટ્ટી, પેન્ડલ અને મણકા જેવાં આભૂષણોે મળ્યાં હતાં.

ડુમસ નજીક માલવણ

ડુમસ નજીક માલવણમાં માટીનું સ્ટ્રકચર મળ્યું છે. આ ખાડાની દક્ષિણે નાના ખાડા, નાની વાડ તથા ભઢ્ઢીઓ મળી હતી. બળદનાં હાડકાં તેમજ છ પ્રકારની માટીનાં ઠીકરાં ઉપરાંત જાસ્પરના પથ્થરમાંથી બનેલી પતરીઓ અને મોટી સંખ્યામાં ધારદાર ઓજારો ઉપરાંત તાંબા-કાંસાની બંગડીઓ મળી હતી.

સૌરાષ્ટ્ર અને સુરતમાં સામ્યતા

આકિeયોલોજી રિવ્યૂ ૧૯૬૭-૬૮ના અંકમાં ઉલ્લેખ કરાયો છે કે ધાતવામાં ઇ.સ. પૂર્વે ૧૫૦૦ માનવવસ્તી હતી. ત્યાંથી મળેલા અવશેષો બતાવે છે કે તે વખતની સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને સુરત નજીકની સંસ્કૃતિમાં સામ્ય હતું. ઇ.સ. પૂર્વે ૫૦૦માં તો અહીં લોઢું ગાળવાની ભઢ્ઢી પણ હતી.

કામરેજ પ્રાચીન યાદીમાં

આર્કિયોલોજિલ સરવે ઓફ ઇન્ડિયાની ગુજરાતના પ્રાચીન મોન્યુમેન્ટની યાદીમાં ૧૮૧ નંબર પર કામરેજનો સમાવેશ કરાયો છે. સુરતના અન્ય મોન્યુમેન્ટ્સમાં ખ્વાજા દાના સાહેબની દરગાહ, ડચ, આર્મેનિયન અને અંગ્રેજ કબ્રસ્તાન અને ખ્વાજા સફર સુલેમાનીની દરગાહ પણ સામેલ છે.

ધાતવા, જોખાનાં ઓજારોની ઓળખ

ધાતવા, જોખા ગામમાંથી પથ્થરોનાં ઓજારો,રમકડાંઓ અને ઘરેણાં પણ મળી આવ્યાં છે.

 

Source “Divya Bhaskar”